GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
મહીસાગર જીલ્લામાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સરકારી શાળાનું શિક્ષણમંત્રીના હાથે ખાતમુહૂર્ત

તા.17/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે પ્રત્યેક બાળક ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્યના પાયાને મજબૂત બનાવી શકે તેવા ઉત્કૃષ્ટ અભિગમ સાથે સંતરામપુર વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તેમજ વિશ્વપ્રસિદ્ધ હાસ્યકલાકાર પદ્મશ્રી ર્ડો.જગદીશ ત્રિવેદીના વરદહસ્તે પ્રતાપગઢ પ્રાથમિક શાળાનું ભુમિપુજન કરવામા આવ્યુ હતું જગદીશ ત્રિવેદી દ્વારા આ શાળાના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ આપવામા આવશે અને આ તેમના દ્વારા નિર્મિત થનાર 12 મી સરકારી શાળા છે આ તકે સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, સરપંચઓ, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





