AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા “હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાન અંતર્ગત શાળાઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંસ્કારોથી Nationwide કાર્યશાળાનું આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા શાળાઓને માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં, પરંતુ સંસ્કાર અને મૂલ્યોનો તીર્થ બનાવવાના ધ્યેય સાથે “હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાનની ઉજાગર શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દેશના ભવિષ્યના ઘડવૈયા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક તથા રાષ્ટ્રપ્રેમના ભાવ વિકસિત કરવા માટે એક નવો માળખાગત દૃષ્ટિકોણ રજૂ કરે છે.

આ અભિયાન અંતર્ગત આગામી 27 અને 28 જૂન 2025ના રોજ કર્ણાવતી (અમદાવાદ) ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભારતમાંથી 80 થી વધુ પદાધિકારીઓ જોડાશે. આ પ્રશિક્ષિત પદાધિકારીઓ પોતાના-પોતાના રાજ્યમાં અભિયાનને પ્રેરણાત્મક રીતે અમલમાં મૂકશે અને હજારો શાળાઓમાં યોગદાન આપશે. ગુજરાતમાં આરંભિક તબક્કે 1000 શાળાઓને આ અભિયાનમાં જોડાવા માટે ઉત્તેજિત કરવામાં આવશે.

કાર્યશાળાની વિશિષ્ટ ઉપસ્થિતિ અને માર્ગદર્શન
કાર્યશાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય બૌધિક પ્રમુખ સુનિલ મહેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણલાલ ગુપ્તા અને રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહન પુરોહિતની ઉપસ્થિતિ અને દિશાનિર્દેશ મળશે.

શિક્ષણવિદ તથા સાહિત્યકાર હનુમાનસિંહ રાઠોડ (રાજસ્થાન) આ અભિયાનમાં પોતાના અનુભવથી અભિગમ ઉમેરશે. અભિયાનના સંયોજક ભગવતીસિંહ (ઉત્તર પ્રદેશ), સહ-સંયોજક લછીરામ ઇંગ્લે (મધ્યપ્રદેશ) અને બલવીર નેગી (હિમાચલ પ્રદેશ) પણ શિક્ષણ ક્ષેત્રે કરાયેલા વિવિધ પ્રયત્નોની સમજણ આપી માર્ગદર્શન આપશે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારમૂલ્ય આધારિત અભિગમ પર ભાર
ABRSM ભારતના શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા, સ્વચ્છતા અને સંસ્કારમૂલ્યને કેન્દ્રમાં રાખી વ્યાપક અભિગમ સાથે કાર્યરત છે. સંગઠન અધ્યયનનો સમય, શિક્ષણસ્થળોની સ્વચ્છતા, વાલી-શિક્ષક સંવાદ, સહયોગ, સામૂહિક પ્રદર્શન, શ્રમનું મહત્વ, સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સંવાદ સ્થાપન જેવા અનેક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.

સંગઠનના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશન હેઠળ રાજ્ય શિક્ષણ મંત્રાલય પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર સાહેબ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા શિક્ષણક્ષેત્રે સર્જનાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન સતત ચાલે છે.

આગામી આયોજન
ABRSM દ્વારા આ અભિયાનને રાજ્યના અંતિમ ખૂણે પહોંચાડવા માટે આગામી સમયમાં રાજ્ય, સંભાગ, જિલ્લા અને તાલુકા સ્તરે વ્યાખ્યાનમાળાઓ, અભ્યાસ વર્ગો, તાલીમ શિબિરો અને શિક્ષણજ્ઞાન પરિષદોનું આયોજન પણ કરવામાં આવશે. સંગઠન દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનિષ્ઠા, શિસ્ત, સદાચાર અને સભ્ય સમાજ માટે જવાબદારીભાવના વિકસિત કરવા માટે આ અભિયાનને વ્યાપક બનાવવાની સંપૂર્ણ તૈયારી છે.

“હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાન શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત રાખવાનું નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કૃતિ સાથે શાળાઓને જીવનઘડતરના તીર્થમાં પરિર્ણમિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Back to top button
error: Content is protected !!