ARAVALLIGUJARATMEGHRAJ

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.ભાજપમાં ચાલતા આંતરિક વિરોધનો લાભ લેવાનો તમામ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.ભાજપમાં ચાલતા આંતરિક વિરોધનો લાભ લેવાનો તમામ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે.

લોકસભા બેઠક હેઠળના અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરી પ્રચાર માટે પહોચ્યા હતા.આદિવાસી વિસ્તારમાં આવેલા તુષાર ચૌધરીએ ઢોલ ઉપાડી લઇ કાર્યકરો સાથે ઢોલ વગાડી મત માંગ્યા હતા.પારંપરિક આદિવાસી નૃત્ય સાથે સભા સ્થળે પહોચ્યા હતા.આગામી ૧૬ એપ્રિલ કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી ઉમેદવારી પત્ર ભરશે.બૂથ સુધી કામ કરનાર કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપ ચાલતા આતરિક ડખાને લઈને પણ નિવેદન આપ્યું હતું..કોગ્રેસ યુક્ત ભાજપમાં હવે વિરોધનો વંટોળ છે.કોંગ્રેસમાથી ભાજપમાં આવનારને સીધું ધારાસભ્ય થી કેબિનેટ મંત્રી સુધીનું પ્રમોશન મળી જાય…કોઇકને સાંસદમાં ટીકીટ આપી દેવાય છે.આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે.આ કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડો.તુષાર ચૌધરી સામે ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇંડિયા ગઠબધનના કારણે વોટ માગતા નજરે પડ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!