BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં ઉતરાયણ પર્વની ઉજવણી

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક વિભાગમાં આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી,બાલમંદિરના આચાર્ય શ્રીમતી સુનિતાબેન સેભરા અને પ્રાથમિકના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાના માર્ગદર્શન હેઠળ તથા બાલમંદિરથી ધોરણ આઠના શિક્ષક ભાઈ-બહેનોના સહીયોગથી બાલમંદિરથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ આજે સમતા વિદ્યાવિહારના મેદાનમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરી,જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો ચગાવીને ઉતરાયણ પર્વનો આનંદ મેળવ્યો. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે સી ઈલાસરીયાએ ઉતરાયણ પર્વની ઉજવણી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

Back to top button
error: Content is protected !!