BODELICHHOTA UDAIPUR

બોડેલી રેલવે ફાટક ત્રણ દિવસ સુધી બંધ રહેશે ભારે ટ્રાફીકને ડાઇવર્ટ માટે સૂચના

બોડેલી યાર્ડ સ્ટેશન ખાતે આવેલ લેવલ ક્રોસિંગ નં. 65 ની વાર્ષિક જાળવણી અને ઓવરહોલિંગ કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:00 કલાકથી 28 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:00 કલાક સુધી રેલવે ફાટક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ સમયગાળા દરમિયાન રોડ ટ્રાફિક માટે રેલવે ફાટક સંપૂર્ણપણે બંધ રહેશે. બોડેલી ખાતે છોટાઉદેપુર નેશનલ હાઈવે પર આવેલ આ રેલવે ફાટક અત્યંત મહત્વપૂર્ણ હોવાથી અહીંથી દરરોજ ભારે વાહન વ્યવહાર પસાર થાય છે.રેલવે વિભાગના જણાવ્યા મુજબ, ભારે રોડ ટ્રાફિકને કારણે લેવલ ક્રોસિંગ પર રોડની સપાટી ખૂબ જ ઝડપથી બગડી રહી છે. ઉપરાંત રેલવે ટ્રેકના બેલાસ્ટ (ગીટ્ટી)માં ધૂળના સંચયથી ટ્રેનની સલામત કામગીરીમાં મુશ્કેલી ઊભી થતી હોવાથી તાત્કાલિક જાળવણી અને ઓવરહોલિંગ કરવું અનિવાર્ય બન્યું છે. ટ્રેન સંચાલન સંપૂર્ણ રીતે સલામત રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાટક બંધ રહેતા વાહનચાલકોને પડતી અસુવિધા ટાળવા માટે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.ભારે વાહનો માટે ડાયવર્ઝન માર્ગ: ગોલાગામડી – સંખેડા – લોટિયા – બોડેલી – અલીપુરા – જંબુઘોડા – ડુંગરવંટ – તારાપુર – છોટાઉદેપુર તેમજસંખેડા માકણી – મોડાસર – રંગલી ચોકડી – કવાંટ – છોટાઉદેપુર માર્ગ દ્વારા વાહનવ્યવહાર કરી શકાશે.હળવા વાહનો માટે ડાયવર્ઝન માર્ગ: બોડેલી અલીપુરા ચોકડી – લક્ષ્મી કોટન રોડ – ઢોકલિયા – બોડેલી તેમજ નર્મદા કેનાલ ઝાખરપુરા – અલ્હાદપુરા થઈને બોડેલી સ્ટેશન અંડરપાસ મારફતે વાહનવ્યવહાર કરી શકાશે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ તથા સંબંધિત વિભાગ દ્વારા માર્ગદર્શક સૂચક બોર્ડ લગાવવામાં આવશે તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.રેલવે વિભાગ દ્વારા માર્ગ વપરાશકર્તાઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નિર્ધારિત ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને તંત્રને સહકાર આપે. સમારકામ પૂર્ણ થયા બાદ 28 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:00 કલાક પછી રેલવે ફાટક ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકવામાં આવશે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!