GUJARATSAGBARA

રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનીય ઉષાબેન એ. પ્રાકૃતિક ખેતી વિશે માહીતી આપવાં તાલીમનું આયોજન કરી ખેડૂતોને વિશેષ માહીતી આપી,

રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનીય ઉષાબેન એ. પ્રાકૃતિક ખેતી વિશે માહીતી આપવાં તાલીમનું આયોજન કરી ખેડૂતોને વિશેષ માહીતી આપી,

વાત્સલ્યમ્ સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના પાટી ગ્રામ પંચાયત માં પ્રાકૃતિક કૃષિ ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડુત ભાઇ બહેનોને પ્રાકૃતિક કૃષિ ના આયામ અને દેશી બીજ તેના પોષક તત્વો વિશે,જમીન ની ફળદ્રુપતા વધારવા માટે ગાય આધારિત ખેતી માટે જીવામૃત, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર જાતે બનાવવા અને રાસાયણિક દવાથી થતાં નુકશાન વિશે માહિતી આપી હતી, અને પરંપરાગત રીતે થતી ખેતી વિશે ખેડૂતો પાસે થી પણ માહિતી લીધી હતી, ત્યારે જણાવ્યું હતું કે શણ ને લીલો પડવાશ તરીકે ઉપયોગ કરતા તેની માહિતી ખેડૂતોએ આપી મિલેટ્સ ની ખેતી અને તેના ખોરાક થી થતા ફાયદા ની માહિતી આપી. અને જમીન ને બચાવવા માટે ગાય આધારિત ખેતી કરીને જમીન ને ટકાઉ બનાવવા માટે ખેતીવાડી વિભાગ આત્મા પ્રોજેકટ અંતર્ગત દરેક ગામના ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ આ તાલીમ આપી તેમને વધુ માહિતી આપવા પ્રયાસ કરવામાં આવે છે સાથે સરકારી યોજનાઓ વિશે,મોડલ ફાર્મ, પ્રાકૃતિક શાકભાજી ની સહાય યોજનાની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી,

Back to top button
error: Content is protected !!