GUJARAT

નસવાડી તાલુકામાં છ પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું.

મુકેશ પરમાર,,નસવાડી

નસવાડી તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત છ પ્રાથમિક શાળાઓમાં કુલ 21 નવીન ઓરડાઓના બાંધકામ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો જેમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય આભેસિંહ તડવીના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમ કાંધા, સેંગપુર, કાડકોચ, ખોડીયા, પાલસર અને ચામેઠા પ્રાથમિક શાળાઓમાં નિર્માણ થવા જઈ રહ્યા છે. સરકાર દ્વારા શાળાના જર્જરિત ઓરડાઓને બદલે નવા ઓરડા બાંધવા માટે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી બાળકો પાકા ઓરડામાં બેસીને સુખદ વાતાવરણમાં અભ્યાસ કરી શકે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી દલસિંગભાઈ ડુ.ભીલ, તાલુકા પંચાયત સભ્ય રાજેશકુમાર જયસ્વાલ, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ રાઠવા, નસવાડી સરપંચ મેહુલ તડવી, ભાજપ કાર્યકર અનિલભાઈ શાહ પુર્વ એસ ટી ડિરેક્ટર જશુભાઈ ભીલ ભાજપ યુવા મોરચા પ્રમુખ પૂર્વેશભાઈ રાઠવા સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!