GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ

તા.૨૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન “પેન્શન ચુકવણા કચેરી” ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ એક્સપાન્શન અને હાલના હયાત બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે તા.૩૧/૦૮/૨૦૨૫ રવિવારના રોજ રાજકોટ ખાતેના જિલ્લા સેવા સદન-૨ (બહુમાળી ભવન), રેસકોર્ષ રીંગ રોડ, બ્લોક નં ૭/૧, ૭/૨, તથા ૭/૩ સાતમાં માળે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં આ કચેરી તા.૦૧/૦૯/૨૦૨૫ સોમવારથી રાબેતા મુજબ નવી જગ્યાએ કાર્યરત થશે. જેની સર્વે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સહિત પેન્શન, કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ નોંધ લેવા રાજકોટ પેન્શન ચુકવણા કચેરીના તિજોરી અધિકારીશ્રી પી.એમ.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!