BODELICHHOTA UDAIPUR

અલીપુરા ચાર રસ્તાથી હાલોલ રોડ તરફ જતા જોખમી બનેલા સાઈન બોર્ડ અને રેલિંગનું સમારકામ કરવા લોક માંગ

છોટાઉદેપુર જિલ્લાના આર્થિક હબ ગણાતા અને સતત વાહનોથી ધમધમતા બોડેલી નગરમાં માર્ગ સલામતીના અભાવે વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો છે, જેમાં ખાસ કરીને નગરના હાર્દ સમાન અલીપુરા ચાર રસ્તાથી હાલોલ, છોટાઉદેપુર અને ડભોઈ તરફ જતા મુખ્ય માર્ગો પર દિશા સૂચક સાઈન બોર્ડ જોખમી રીતે નમી ગયા હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અહીં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અથવા કાયમી ખોડખાંપણનો ભોગ બન્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા આ માર્ગો પર આવેલી તૂટેલી રેલિંગો કે નમી ગયેલા બોર્ડનું સમારકામ કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એક હાઈવા ચાલકની અડફેટે આવતા બોડેલીના એક આધેડનું કરુણ મોત નીપજવાની ઘટનાએ નગરજનોના આક્રોશમાં વધારો કર્યો છે, જેના પગલે હવે જાગૃત નાગરિકો દ્વારા એવી પ્રબળ માંગ ઉઠી છે કે અલીપુરા ચાર રસ્તા પર ચારેય દિશામાં તાત્કાલિક અસરથી રિફ્લેક્ટર્સ લગાવવામાં આવે, નમી ગયેલા જોખમી સાઈન બોર્ડ સીધા કરવામાં આવે અને ક્ષતિગ્રસ્ત સુરક્ષા રેલિંગોનું યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવી શકાય.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!