BANASKANTHAGUJARAT

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં બંધારણ દિવસની ઉજવણી કરાઈ.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામા પ્રિ.ડો.ડી. એસ.ચારણના માર્ગદર્શનથી

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં બંધારણ દિવસની ઉજવણી કરાઈ.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામા પ્રિ.ડો.ડી. એસ.ચારણના માર્ગદર્શનથી એન.સી.સી.,એન.એસ.એસ.ના વિદ્યાર્થીદ્વારા તા. ૨૬/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. બી.એ.સેમ.-૫ ની વિદ્યાર્થીની અસ્તુ સોલંકીએ સરસ્વતી વંદના કરી હતી.ત્યારબાદ ડૉ.ચારણે તેમના વ્યાખ્યાનમાં ભારતીય સંવિધાનની વિકાસયાત્રા અને સંવિધાન નિર્માણમાં ડો. આંબેડકરના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પડ્યો હતો.વધુમાં જણાવતા કહ્યું હતું કે સ્વાતંત્રતા સમાનતા અને બંધુતાએ ભારતીય સંવિધાનનું હાર્દછે. વિદ્યાર્થીઓએ સંવિધાનનો અભ્યાસ આવશ્યક રીતે કરવો જોઈએ આ પ્રસંગે કોલેજના એન.એસ.એસ.ની સ્વયંસેવિકા કોમલબા વાઘેલા,ચૌહાણ સાક્ષી નિરંજનભાઈ દ્વારા તૈયાર કરવા આવેલ ભીંતપત્ર “અભિવ્યક્તિ” નું વિમોચન પ્રિ.ડૉ.દિનેશભાઈ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામા કોલેજના વિદ્યાર્થીઓ,અધ્યાપકો જોડયા હતા.કાર્યક્રમનુંઆયોજન અને સંચાલન એન. એસ.એસ. પોગ્રામ ઓફિસર ડો.ગૌરવ શ્રીમાળી અને ડો.રામ સોલંકીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!