GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં રાસાયણિક ખાતરની ફરિયાદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે

તા.૧૯/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખાતર મહત્વની ભૂમિકા ભજવે છે. ખાતર પાકના સ્વસ્થ વિકાસ અને સુધારેલી ખાદ્ય ગુણવતા માટે જરૂરી આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે. ખાતર એ આવશ્યક ચીજવસ્તુ હેઠળ આવે છે. સારા વરસાદને લીધે મોટા પ્રમાણમાં ખેતી પાકોનું વાવેતર થવાને લીધે ખાતરની ઉંચી માંગને કારણે લેભાગુ તત્વો દ્વારા ડુપ્લીકેટ ખાતર / ભળતા નામ ધરાવતા ખાતર / નીચી ગુણવતા ધરાવતા ખાતર વેચાઈ શકે છે. તે બાબતે તમામ ખેડૂત / વિક્રેતાએ સતર્ક રહેવું જોઈએ.

વધુમાં, સબસીડાઇઝ ખાતરોની કાળાબજારી, વધુ ભાવ લઈને વેચાણ, ડાયવર્ઝન અને સંગ્રહખોરી બાબતે ગામ / તાલુકામાં અનિયમિતા જણાય તો તે અંગે તાલુકા કક્ષાએ ખેતીવાડી શાખા, ખેતી અધિકારીને તેમજ જિલ્લા કક્ષાએ નાયબ નિયામક (વિસ્તરણ)ની કચેરી, સરકારી પ્રેસની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે જાણ કરી શકાય છે. અથવા રાજકોટ જિલ્લાના કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૫૨૦૪૩ તથા ભારત સરકારના ખાતર કંટ્રોલ રૂમ ૦૧૧-૨૩૦૭૪૪૦૭ પર સંપર્ક કરીને રજૂઆત / ફરીયાદ કરી શકાય છે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!