દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ દાહોદ ખાતે આજે બજેટના વિસ્તૃતમાં પ્રેસ કોન્ફરન્સ રાખી
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ દાહોદ ખાતે આજે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

તા. ૦૫. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ દાહોદ ખાતે આજે બજેટના વિસ્તૃતમાં પ્રેસ કોન્ફરન્સ રાખી
Dahod:દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ દાહોદ ખાતે આજે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સિથારમન દ્વારા સર્વાંગી વિકાસ અને હિકરી બજેટ મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુ થી આ પ્રેસકોન્ફરન્સ યોજાઈ જેમાં દાહોદ જિલ્લા ભાજપ અહ્યક્ષ શંકર આમલિયાર, ધારાસભ્ય વડોદરા કેયુર રોકડીયા, ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી , કાર્યક્રમના ઇન્ચાર્જ નેહલ શાહ તથા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેયુર્ભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટ નો મુખ્ય ગોલ રાજ્ય નું એસ્પિરેશન શું છે જરૂરિયાત ને ધ્યાને રાખી બજેટ બનતું હોય છે ને રક્ષા બજેટ ત્રણ ઘણું વધાર્યું છે આ વર્ષનું બજેટ ૪૪ લાખ કરોડ છે દસ વર્ષમાં બજેટ ત્રણ ઘનું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનાવમાં આવે છે આ વખતે ગરીબો, ખેડૂતો , મહિલાઓ અને યુવાઓને દ્યમાં રાખી બજેટ નું પ્રાવધાન કરવામાં આવ્યું છે દેશમાં કોવિડ પછી ૮૦ કરોડ લોકોને મફત અનાજ વધુ પાંચ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્માન નો લાભ ૭૦ વર્ષ થી વધુ ઉમર ના લોકોને લાભ આપશે સૌથી મોટો ખેડૂતો નો પ્રશ્નો જમીન મલિકી નો હોય છે તેના માટે પણ અલયદી જોગવાઈ કરી છે અને તેઓ માટે “ભુ આધાર ” ની ખાસ જોગવાઈ કરવામાં આવી છે ૫૦૦ ટોપ કંપનીમાં ઇન્ટરનશિપ સરકારે કમપ્લસરી છે અને એનાથી એક કરોડ યુવાઓ ને લાભ થશે મોદી સરકારનું આ બજેટ દેશ માટે વિકાસલક્ષી અને દેશની સુરક્ષા માટે પણ હિતકારી છે અને એમાં આદિવાસીઓ માટે પણ વિકાસલક્ષી વિવિધ યોજનાઓ નો સમાવેશ કરી આદિવાસી ના વિકાસ ની ગઠાને પણ વધુ વેગ આપવામાં આવ્યો છે




