ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જીલ્લાના સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસ માટે સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

તા.૧૯.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જીલ્લાના સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસ માટે સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
તારીખ 2.5.2026 થી શાળાઓમાં વેકેશન છે બાળકો ઘરે આવી ગયા છે વેકેશન એટલે વાલીઓ માટે માથાનો દુખાવો કારણકે બાળક આપણું કહ્યું માનતા નથી ,બાળક વધુ પડતું ગુસ્સો કરે છે ,વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે ,આળસ કરે છે અને આપ આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગો છો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16.5.2026 થી તારીખ 30.5.2026 સુધી 15 દિવસ સુધી સમર યોગકેમ્પ સુખસર અને ફતેપુરા બંને તાલુકા ના સેન્ટરમાં ભીતોડી પ્રાથમિક શાળા ખાતે ચાલુ થયેલ છે જેમાં 7 થી 15 વર્ષના કુમાર કન્યાઓ ભાગ લઈ રહ્યા છે . આ સમર યોગ કેમ્પમાં અનુભવી અને નિષ્ણાંત યોગ કોચ દ્વારા દરરોજ સવારે 7 થી 9 બે કલાક દરમિયાન યોગ, પ્રાણાયામ ,શિક્ષણ અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવશે .જેમાં વહેલા કેવી રીતે ઊઠવું, વડીલોનું સન્માન કરવું ,માતા પિતાનું આદર સન્માન કરવું , પગે લાગવું,હંમેશા સાચું બોલવું ,નિષ્ઠાવાન અને પ્રમાણિત કેવી રીતે બનવું, ગુસ્સો અને આળસ કેવી રીતે દૂર કરી શકાય. યાદશક્તિ કેવી રીતે વધારી શકાય ,હંમેશા પોઝિટિવ કેવી રીતે બનવું . મોબાઈલ થી દૂર કેવી રીતે રહેવું જેવી બાબતો વિશે માર્ગદર્શન અને માહિતી જુદા જુદા ઉદાહરણો, દ્રષ્ટાંતો ,બોધ કથાઓ દ્વારા આપવામાં આવે છે. ઉપસ્થિત તમામ બાળકોને દરરોજ નેચરલ ડ્રિંક્સ પણ આપવામાં આવે છે કેમ્પ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ બાળકોને સર્ટીફિકેટ આપવામાં આવશે .સાથે બાળકો ઘરે યોગ કરી શકે તે માટે યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્ર પોથી અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું.કેમ્પમાં 100 બાળકોની મર્યાદા છે પરંતુ હાલમાં 100 થી વધુ બાળકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. યોગ ,પ્રાણાયામ ,શિક્ષણ સંસ્કાર સાથે પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે તથા આદર્શ બાળક કોને કહેવાય, આદર્શ બાળકોના ગુણો ,આદર્શ બાળકની દિનચર્યા, આદર્શ બાળકનો આહાર, વધુ પડતા મોબાઈલના ઉપયોગથી થતી આડઅસરો. કેમ્પમાં તમામ બાળકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં માજી સરપંચશ્રી, માજી ડેપ્યુટી સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષશ્રી ,એસએમસીના સભ્યો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દાહોદ જીલ્લા યોગ કો.ઓર્ડીનેટર ધુળાભાઇ પારગી સાહેબ,તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા હાજર રહ્યા હતા




