
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ હોમીયોપેથી દિવસ નિમિતે આશાપુરા માતાજીનું મંદિર, વિજલપોર રોડ, નવસારી અને રામદેવપીર મંદિર, જલાલપોર ખાતે જિલ્લા ના દરેક હોમિયોપેથીક દવાખાના દ્વારા મફત હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં લોકો ને હોમીયોપેથી ચિકિત્સા પધ્ધતિ વિશે માહિતગાર કરવા માં આવ્યા તેમજ દરેક પ્રકારના રોગોની સારવાર હોમિયોપેથીક ચિકિત્સા પધ્ધતિ દ્વારા કરવામાં આવી જેમા મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો .





