GUJARATKUTCHMANDAVI

દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૩ ડિસેમ્બર : ૩ જી ડિસેમ્બર ના રોજ શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ઘ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવેલ..એક જરૂરીયાતમંદ દિવ્યાંગ ને દાતા અક્ષરનિવાસી રામબાઈ ભીમજી કાનજી રાજાણી પરીવાર જખણીયા નાં સહયોગ થી વ્હીલચેર તેમજ એક દિવ્યાંગને સંસ્થા તરફથી ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ તેમજ એકવીસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગોને ગરમ ધાબળા નો સંસ્થા ના મંત્રી હોથુજી પી જાડેજા અને માવજીભાઈ મેપાણી ના હસ્તે વિતરણ કરવામાં આવેલ. આવેલ તમામ દિવ્યાંગ લાભાર્થીઓને ચા નાસ્તો આપવામાં આવેલ..આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી માનસંગજી સોઢા,રામજીભાઈ ચાવડા,નાનજીભાઈ કોલી,વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા વગેરે ઉપસ્થિત રહેલ.

Back to top button
error: Content is protected !!