DEVBHOOMI DWARKAKHAMBHALIYA
જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે રક્તદાન અંગેના શપથ ગ્રહણ કરાયા
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુપ્રિટેન્ડેન્ટશ્રી, આર.એમ. ઓ.શ્રી સહિતનાની ઉપસ્થિતિમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે પરિવાર, મિત્રો, સગા, સંબંધીઓ, સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃકતા ફેલાવવા, કોઇ પણ લોભ, લાલચ વગર, જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઇને રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.






