KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સ્થીત પંચમહાલ કેળવણી મંડળ નાં ૧૦ ટ્રસ્ટીઓ સામે મદદનીશ ચેરિટી કમિશનર કચેરી દ્વારા ફરીયાદ

તારીખ ૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ટ્રસ્ટ નો આડેધડ વહીવટ કરતા ટ્રસ્ટીઓ સામે મદદનીશ ચેરિટી કમિશનર કચેરી દ્વારા ફોજદારી કાર્યવાહી

કાલોલમાં આવેલી પંચમહાલ પ્રાથમિક કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા તેમના ટ્રસ્ટીઓ એ ટ્રસ્ટની માલીકીની ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી સર્વે નંબર ૬૦/૪૦ ની ખેતીની જમીન ગત તા ૨૧/૦૬/૨૦૨૧ નાં રોજ રજીસ્ટર દસ્તાવેજ થી ૯૯ વર્ષના ભાડાપટ્ટે ગોધરાના રિઝવાન ઈસ્માઈલ છુંગા ને સંયુકત ચેરિટી કમિશનર ની પુર્વ મંજૂરી મેળવ્યા વગર આપી દેવામા આવી હતી જેને પરિણામે ટ્રસ્ટના જાગૃત હિતધારકો એ સંયુકત ચેરિટી કમિશનર કચેરી ખાતે લેખીત રજુઆત કરી હતી અને ત્યારબાદ મદદનીશ ચેરિટી કમિશનર કચેરી દ્વારા પંચમહાલ પ્રાથમિક કેળવણી મંડળ નાં ટ્રસ્ટીઓ ને શો કોઝ નોટિસ ફટકારી હતી જાગૃત હિત ધારકો ની સક્રિયતા બાદ મદદનીશ ચેરિટી કમિશનર ની નોટિસ મળ્યા બાદ આ ટ્રસ્ટીઓએ તા ૨૭/૦૮/૨૧ નાં રોજ ટ્રસ્ટીઓ દ્વારા ચુક દુરસ્તી નો દસ્તાવેજ કરી સુધારો કરી ૯૯ વર્ષના બદલે ૧૦ વર્ષ માટે ભાડાપટ્ટે જમીન આપી હોવાનો જવાબ રજુ કરેલ કુલ મળીને વડોદરા સ્થિત સંયુકત ચેરિટી કમિશનર કચેરી ની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જ ગુજરાત પબલીક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ ની કલમ ૩૬ અને તે કાયદાના નિયમ ૨૪ નો ભંગ કરેલ જેથી તેજ કાયદાની કલમ ૬૭ મુજબ નો ગુનો કરેલ જે બાબતે ગોધરાની મદદનીશ ચેરિટી કમિશનર કચેરી દ્વારા વડોદરા સ્થિત સંયુકત ચેરિટી કમિશનર કચેરી દ્વારા પ્રોસિક્યુશન કરવાની મંજૂરી માંગવામાં આવી હતી જેની મંજુરી મળતા જ ગોધરા મદદનીશ ચેરિટી કમિશનર કચેરી ખાતે કાર્યાલય નિરીક્ષક તરીકે ફરજ બજાવતા એચ એચ મકવાણા દ્વારાગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ ની કલમ ૮૨ મુજબ ની હકુમત ધરાવતી એડિશનલ ચીફ જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ કાલોલ સમક્ષ ટ્રસ્ટના ૧૦ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફોજદારી ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!