Rajkot: રાજકોટમાં બાલભવન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ચિત્ર સ્પર્ધા યોજાઈ
તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી રૂપે સમગ્ર ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. આ વર્ષે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ’ થીમ રાખવામાં આવી છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા બાલભવન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ પોતાની કલા અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને સુંદર ચિત્રો તૈયાર કર્યા હતાં. આ ચિત્ર સ્પર્ધા થકી બાળકોમાં રાષ્ટ્રભક્તિ દ્રઢ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરા તથા અન્ય વિભાગના અધિકારીઓ અને શાળાના શિક્ષકો, આચાર્યો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.