ફાયર શાખા દ્વારા શાળા,કોલેજ,હોસ્ટેલ ઇમારતો જેની હાઈટ ૧૫ મીટર કરતા વધુ હોય તેવી કુલ – ૪૨ (બેતાળીસ) શૈક્ષણિક ઈમારતોની ફાયર એન.ઓ.સી.બાબતની ચકાસણી …
તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડાની સુચના અન્વયે જૂનાગઢ,મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ,હાઈરાઈઝ બિલ્ડીંગ,મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ,હોસ્પીટલો,શાળા,કોલેજ,ટયુશન કલાસીસ,સિનેમા ગૃહ,શોપીંગ કોમ્પલેક્ષ,અન્ય બહુમાળી બિલ્ડીંગો,ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
શહેરમાં આજ રોજ ફાયર શાખા દ્વારા શાળા,કોલેજ,હોસ્ટેલ ઇમારતો જેની હાઈટ ૧૫ મીટર કરતા વધુ હોય તેવી કુલ – ૪૨ (બેતાળીસ) શૈક્ષણિક ઈમારતોની ફાયર એન.ઓ.સી.બાબતની ચકાસણી પૂર્ણ કરેલ છે.તેમજ ફાયર એન.ઓ.સી. ચકાસણી દરમ્યાન મુદત વીતી ગયેલ ૧૧ (અગિયાર) શૈક્ષણિક ઈમારતોને ધોરણસરની નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરેલ છે.
આગામી દિવસોમાં મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં આવેલ ૯ મીટર થી ૧૫ મીટર સુધી હાઈટ સુધીની કોલેજો, પ્રાથમિક શાળા,હોસ્ટેલો વગેરે શૈક્ષણિક ઈમારતોમાં ફાયર એન.ઓ.સી. ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે.
«
Prev
1
/
85
Next
»
ડાકોર વણોતી શેઢી નદીના બ્રિજ નીચેથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર