Dhoraji: ધોરાજીમાં મામલતદાર કચેરી ખાતે મધ્યાહ્ન ભોજન સંચાલકોને મતદાન માટે પ્રેરિત કરાયા
તા.૨૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકશાહીના અવસરને દીપાવવા માટે લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારોની ભાગીદારી આવશ્યક છે. જે અન્વયે ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસરશ્રી જયેશભાઈ લીખીયાના માર્ગદર્શન મુજબ સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે મધ્યાહ્ન ભોજન સંચાલકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.
ધોરાજી તાલુકાની મામલતદાર કચેરી ખાતે મધ્યાહ્ન ભોજન સંચાલકોની બેઠકમાં મતદાનની જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાનની પ્રક્રિયા વિશેની સમજૂતી આપવામાં આવી હતી. મતદાનનું મહત્વ ઉજાગર કરતાં પેમ્ફલેટનું વિતરણ કરીને તા. ૭ મેના રોજ મતદાન કરવા તથા કુંટુબના મત આપવાની પાત્રતા ધરાવતાં સભ્યોને ચૂંટણીમાં મતદાન કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી. તેમજ અવશ્ય મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. ત્યારે સૌએ મતાધિકારનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.