તા.૨૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તા. ૦૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.જેમાં સૌ રાજકોટવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ, મતદાન કરે તે માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ કાર્યક્રમો અંતર્ગત ધોરાજીની શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી દ્વારા આસપાસના વિસ્તારમાં મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ “મતદાન મારી નૈતિક ફરજ” અને “મતદાન મારો અધિકાર” જેવા સૂત્રોચ્ચાર સાથે સમગ્ર ધોરાજીવાસીઓને મતદાનની પવિત્ર ફરજના મહત્વ વિષે અવગત કર્યા હતા. લોકોને મતદાન માટે પ્રેરવા સ્વીપ દ્વારા વિભિન્ન નવતર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તેમ સ્વીપના નોડલ તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીની યાદીમાં જણાવાયું છે.