તા.૨૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર માસ ઉર્જા સંરક્ષણ માસ તરીકે ઉજવવાનું નકકી કરેલ હોંય જેના ભાગરૂપે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન નીચે આવતી જૂનાગઢ વર્તુળ કચેરી ના તાબા હેઠળની ટ્રાન્સમીશન ડિવિઝન કચેરી ધોરાજી દ્વારા ઉર્જા બચત અભિયાન લોકજાગૃતિ માટે જેટકોની ડિવિઝન કચેરી ખાતે ઉર્જા સંરક્ષણ ના સંચાર માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના ઉર્જા બચત માટે ના પેમ્પ્લેટ,બેનેરો ,હોર્ડીંગ્સ વિગેરે લગાવી ઉર્જા બચત કઈ રીતે કરી શકાય તે વિષે લોકો ને જાણકારી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતાં.
તેમજ જેટકો ધોરાજી દ્વારા સ્ટોલમાં ઉપકરણો પ્રજાજનો ના નિદર્શન માટે રાખવામાં આવ્યા હતા અને આ ઉર્જા સંરક્ષણ જાગૃતિ અભિયાન માં જેટકો જૂનાગઢ વર્તુળ કચેરી ના અધિક્ષક ઇજનેર જી એન ભાલાણી વિશેષ ઉપસ્થિત રહી લોકો ને વીજ બચત કરવા જણાવ્યું હતું.તેમજ ધોરાજી ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એમ જી ટાટમિયા તેમજ નાયબ ઈજનેર જે એચ ડઢાણીયા,એમ આર ચોરવાડા દ્વારા લોક જાગૃતિ અર્થે જહેમત ઉઠાવેલ