વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મહાલ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઢોંગીઆંબા ગામે કોઝવે પુલ ચોમાસા દરમ્યાન ધોવાણ થઇ જવાથી જર્જરિત અને બિસ્માર હાલત થઇ જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે. ઢોંગીઆંબા ગામે પહેલા ફળિયા થી નીચલા ફળિયામાં જવા માટે વચ્ચે નદી હોવાથી તાલુકા પંચાયત હસ્તક દ્વારા કોઝવે પુલ બનાવી આપવામાં આવ્યો હતો કોઝવે પુલ જે તે વખતે ચોમાસા દરમ્યાન ધોવાણ થઇ જવાથી આજે લોકોની કફોડી અને દયનીય હાલત થઇ જવા પામી છે.ઢોગીઆંબા ગામના પહેલા ફળિયાના ગામ લોકોના નીચલા ફળિયા તરફ હોવાથી ચોમાસામાં ક્યારેક વધુ વરસાદ પડવાથી નદીનું વહેણ વધુ થઇ જાયતો ખેતરોનુ કામ કાજ પણ અટકી જતુ હોય છે. ઢોંગીઆંબા ગામે પહેલા ફળિયામાં પાઠશાળા હોવાથી નીચલા ફળિયાના બાળકોને ચોમાસા દરમ્યાન ક્યારેક વધુ વરસાદ પડેતો નદી ઓળંગવા કોઈ સુવિધા ન હોવાથી સમય સર બાળકોને શિક્ષણ મળતું નથી જ્યારે ઢોંગીઆંબા ગામે પહેલા ફળિયામાં ચોમાસામાં કોઇક નું મુત્યુ થાયતો નીચલા ફળિયામાં સ્મશાનભૂમિ હોવાથી મૃતદેહને ભારે હાલાકીનો સામનો કરી નદી આળંગીને લઇ જવા મજબુર બની જતા હોય છે. જ્યારે હાલમાં પણ પહેલા ફળિયાના લોકો નીચલા ફળિયામાં જવું હોયતો કોઝવે પુલ પરથી લાકડી નો સહારો લઇ પસાર થવું પડી રહ્યું છે. ગ્રામજનોએ આ કોઝવે પુલ વિરુદ્ધ મૌખિક અને લેખિત માં પણ અનેકવાર રજૂઆતો કરી પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહિ.તેવામા ઢોંગીઆંબા ગ્રામજનોને પડતી મુશ્કેલીના સત્વરે ડાંગ જિલ્લાના કલેક્ટર વધુ ધ્યાન આપી ઢોંગીઆંબા ગ્રામજનોને કોઝવે પુલથી પડતી મુશ્કેલીને દૂર કરે એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.