GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા સમારકામ કરાયું

તા.૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરાયું હતુ.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના નેજા હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.





