MADAN VAISHNAVApril 24, 2025Last Updated: April 24, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી,તા.૨૪: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીનેખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મેળવી શકે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. નવિન આઇ ખેડુત પોર્ટલની વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે જેથી અરજી કરવા પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરાવવુ અનિવાર્ય છે જેની નોંધ જિલ્લાના તમામ ખેડૂતોએ લેવા સૌ ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી શાખા તરફથી જણાવવામાં આવે છે.
«
Prev
1
/
122
Next
»
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ
«
Prev
1
/
122
Next
»
MADAN VAISHNAVApril 24, 2025Last Updated: April 24, 2025