GUJARATJETPURRAJKOT

Rajkot: વાંકાનેર મતવિસ્તારના આણંદપર તથા નવી રાતિદેવડીના ગ્રામજનોએ લીધા મતદાનના શપથ: સેલ્ફી પોઇન્ટ બન્યું મતદારોનું આકર્ષણ

તા.૨૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સંસદીય મતવિસ્તાર રાજકોટના ૬૭- વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગના રાજકોટ તાલુકાના આણંદપર ગામ તથા નવી રાતિદેવડી પ્રા .શાળા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, આશાવર્કર બહેનો, ગામના આગેવાનો, ગ્રામ પંચાયત કચેરીના કર્મચારીઓ, ગ્રામજનો જોડાયા હતા, ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક સેલ્ફી પોઇન્ટમાં ભાગ લેવામાં આવ્યો તથા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જિલ્લાના ૨ વિધાનસભા મતદાર વિભાગ ૬૬-ટંકારા તથા ૬૭-વાંકાનેર અને રાજકોટ જિલ્લાના ૫ વિધાનસભા મતદાર વિભાગ ૬૮-રાજકોટ (પૂર્વ), ૬૯-રાજકોટ (પશ્ચિમ), ૭૦-રાજકોટ (દક્ષિણ), ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) અને ૭૨-જસદણ વિ.મ.વિ. મળી કુલ-૭ વિધાનસભા મતવિભાગનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!