મૂકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકામાં 212 ગામો આવેલા છે અને 60 ટકા ખેતી અવકાશી થાય છે જ્યારે અખાત્રીજ નાં દિવસે દરેક ખેડૂત ખેતર ખેડી મુહર્ત કરતા હોય છે પોચંબા ગામના ખેડૂતે હાલ અખાત્રીજના દિવસે ખેતરે પહોંચી બળદને કંકુ ચાંદલા કર્યા હતા તેમજ ખેતરોમાં શ્રી ફળ ફોળી પૂજા-અર્ચના કરી હતી અને ખેતર ખેડી મુહર્ત કર્યું હતું જ્યારે ખેડૂતના જણાવ્યા મુજબ અખાત્રીજ ના શુભ મુહૂર્ત ખેતર ખેડવામાં આવે છે અને ખેતીમાં મુશ્કેલી ના સર્જાય તેમજ ખેતર ખેડવાની શરૂઆત અખાત્રીજના શુભ દિવસે કરવામાં આવે છે આ દિવસ ખેડૂતો માટે મહત્વનો હોય છે આ દિવસ શુભ ગણવામાં આવે છે ખેડૂતો ખેતરમાં પૂજા-અર્ચના કરીને રસોઈ પણ ખેતરમાં જ બનાવે છે અને સાથે બેસીને જમે છે અને ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરે છે આખું વર્ષ સારું જાય અને ખેતીમાં સારી ઉપજ મળે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.