નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૧ પ્રશ્નોનો માંથી ૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ*
નવસારી , તા.૨૪: કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ -૧૧ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં લાઇફ ઇન્સ્યોરન્સ, જમીન સંપાદન, ગેરકાયદેસર બાંધકામ, સહાય મેળવવા બાબત, નાણા પરત કરવા બાબત, અનઅધિકૃત ભંગાર, પ્લાન્ટ માટે પરવાનગી બાબત, આર્થીક નુકસાની, ભ્રષ્ટાચાર વગેરે બાબતોને લગતા પ્રશ્નોની વિવિધ અરજદારશ્રીઓએ રજૂઆત કરી હતી.
કાર્યક્રમમાં રજૂ થયેલ તમામ ૧૧ પ્રશ્નોનો માંથી ૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૦૩ પ્રશ્નો પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોના બાકી રહેતા પ્રશ્નો માટે તાત્કાલિક નિવારણ કરવા માટે ખાસ સૂચના આપી હતી. કર્મચારીઓ અને અધિકારીઓને હકારાત્મક વલણ રાખીને અરજદારોને બીજી વાર પોતાના કામ માટે ધક્કો ખાવો ના પડે તે રીતે કામગીરી કરવા માટે સૂચના આપી હતી.
ઉકત કાર્યક્રમમાં જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીગણ હાજર રહ્યા હતા.