વિજાપુર રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા દિવ્ય વિજય 2024 ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાષ્ટ્રીય સેવક સંઘને (શતાબ્દી) 100 વર્ષ પુરા થતા ઉજવણીના ભાગરૂપે દિવ્ય વિજય ૨૦૨૪ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ કાર્યક્રમના ભાગરૂપે વિજાપુર નગરમાં પથ સંચલન યોજવામાં આવ્યું જેમાં ૩૧૨ 1જેટલા સ્વયંસેવકો અનુશાસન પૂર્વક જોડાયા હતા ત્યારબાદ આશ સેકન્ડરી સ્કૂલના પટાંગણમાં જાહેર સભા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંસેવકો દ્વારા ધ્વજારોહણ, ધ્વજપ્રણામ, પ્રાર્થના, વ્યક્તિગત ગીત, શારીરિક પ્રાત્યક્ષીક, અમૃત વચન, વિગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જયંતીભાઈ પટેલ ડાયરેક્ટર દેવ ગ્રુપ તથા મુખ્ય વક્તા પ્રવિણસિંહ ગોહિલ મહેસાણા વિભાગ શારીરિક પ્રમુખ દ્વારા બૌદ્ધિક માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ હતું આ કાર્યક્રમમાં વિજાપુર નગર અને તાલુકાના 44 ગામોમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા વિજાપુર તાલુકા કાર્યવાહ મનીષભાઈ ચૌહાણ સુભાષભાઈ દવે પૂર્વ ધારાસભ્યો સીજે ચાવડા રમણભાઈ પટેલ કાનજીભાઈ પટેલ રાજુભાઇ પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા