MORBI:મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે સંમેલન યોજાયું

MORBI:મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે સંમેલન યોજાયું
સૈનિકો દેશની સરહદોની દિવસ રાત સુરક્ષા કરે છે માટે આપણે શાંતિથી આરામ કરી શકી છીએ:- જિલ્લા કલેકટરશ્રી કે. બી. ઝવેરી
પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી રાઘવજી ભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
મેડીકલ કેમ્પમાં ૧૪૦ પૂર્વ સૈનિકોઓએ આરોગ્ય તપાસ કરાવી: ૧૫ સૈનિકોઓએ ફરજ બજાવી
મીલીટરી સ્ટેશન ધ્રાંગધ્રાની સેનાની ટીમ પણ ઉપસ્થિત રહી: વિર નારી, ક્ષતિગ્રસ્ત પૂર્વ સૈનિકોનું સન્માન કરાયા
યોગ શિબિર, દેશ ભકિતના કાર્યક્રમો યોજાયા
મોરબી જિલ્લામા વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન ભરતવન ફાર્મ, નેશનલ હાઈવે – ૨૭, મોરબી ખાતે જિલ્લા કલેકટરશ્રી કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયું હતુ
આ તકે મોરબી જિલ્લા કલેકટરશ્રી કે. બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ આપતિમાં ઇન્ડીયન આર્મી હોઈ એટલે શાંતિ થઈ જ જાય. આર્મીમાં લોકોને ખૂબ ભરોસો છે. દેશની સરહદોની સુરક્ષા જવાનો કરે છે ત્યારે આપણે શાંતિથી જીવી શકી છીઍ. દેશના જવાનોની સુરક્ષા અને સુવિધા માટે સરકાર કટીબદ્ધ છે. નિવૃત આર્મી મેન અને શહિદ જવાનોના પરિવારજનો માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. ગત વર્ષે માળિયામાં ભારે વરસાદમાં જનજીવન ખોરવાતા આર્મી આવી જતા ત્રણ દિવસમાં જ બધું યથાવત થઈ ગયું હતું. દેશ સેવામાં શહીદ જવાનોને કલેકટરશ્રી દ્વારા શ્રધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ તકે પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી રાઘવજી ભાઈ પટેલે શહીદ જવાનોને ભાવાંજલિ આપી જણાવ્યું હતું કે, આપણે શાંતિથી સૂઈ શકી એ માટે દિવસ રાત દેશની સુરક્ષા સૈનિકો કરે છે. આપણા દેશના સૈનિકોએ પડોશી દેશો સાથે કેટલાક યુદ્ધો કર્યા. અનેક વિર જવાનો શહિદ થયા હતા. આ સૈનિકોને હું શત શત નમન કરું છું. સ્વદેશી અભ્યાનને વેગવંતુ બનાવવા તેમજ દેશને વધુ સુરક્ષિત કરવા તથા સૈનિકોને વધુ આધુનિક સાધનો મળી રહે તે માટે અધ્યતન મિસાઈલ અને તોપો ભારતમાં બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું. તેઓ બોર્ડર ઉપર અનેક વાર જવાનો સાથે દિવસ પણ વિતાવે છે. પૂર્વ સૈનિકોને સરકાર તો કલ્યાણકારી યોજના ચલાવે છે લોકો પણ સહકાર આપે તેવી અરજ છે.
રાજકોટ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલશ્રી પવનકુમારે સ્વાગત પ્રવચન અને રાજ્ય સૈનિક બોર્ડની કલ્યાણકારી યોજનાની જાણકારી આપી હતી.
મહાનુભાવોનું સ્વાગત બુકે આપી સ્વાગત અને ટેન્કનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયુ હતું. સર્વોપરી સ્કૂલની બાળકોઓએ સ્વાગત ગીત , દેશભક્તિ ના ગીતો રજૂ કર્યા હતા.
આર્મીના બે મેજર લે.કર્નલ ખંડાવત, મેજર વિઘ્નેશ્વરમ, કેપ્ટન દીપ જ્યોતિ લશ્કર, અગ્રણી અશોકસિંહ ઝાલા, અશોકસિંહ જાડેજા દાતાશ્રી નવીન પેપર, કિશનભાઈ, પ્રાણજીવન કાવત, જિલ્લા માહિતી અધિકારીશ્રી પારૂલ આડેસરા, યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટશ્રી દેવાંશ્રી પરમાર, સૈનિક કચેરીના શ્રી કૌશિકભાઈ અનટકટ, શ્રી રેખાબેન દુધકિયા, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.












