નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*’રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થતા નવસારી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ*
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.
નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અન્વયે આજરોજ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્યમથક કાલીયાવાડી કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં જિલ્લાના તમામ વર્ગ-૦૧ તથા વર્ગ-૦૨ના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ સહભાગી થઇ ભારતના જવાબદાર નાગરિક તરીકે ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થયા હતા.
*બોક્ષ:*
*ભારત વિકાસ પ્રતિજ્ઞા*
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.