BHARUCHJHAGADIYA

ઝઘડિયા ની બ્રિટાનિયા કંપનીમાં ૪૦ દિવસની હડતાલ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી

ઝઘડિયા ની બ્રિટાનિયા કંપનીમાં ૪૦ દિવસની હડતાલ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી

 

સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવાને કર્મચારીઓએ બોલાવ્યા બાદ પણ કર્મચારીઓ ની વહારે આવ્યા નથી !

 

સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા બાદ પણ નિરાકરણ લાવ્યા નથી!

 

ઝઘડિયા જીઆઇડીસી ની બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા ૪૦ દિવસ કરતાં વધુ સમયથી કંપનીના ૩૧૧ કર્મચારીઓ તેમના બેઝિક પગાર વધારાની માંગણીને લઇ કામથી અળગા રહી હડતાલ પર ઉતર્યા છે, હડતાલના શરૂઆતના દિવસોમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સિવાય બધા રાજકીય નેતાઓ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં આવ્યા હતા, કંપની મેનેજમેન્ટ સાથેની વાતો ઘાટો બાદ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી કંપની કર્મચારીઓએ ફરીથી રાજકીય તેમજ સામાજિક નેતાઓને એક વિડીયો મેસેજ ના માધ્યમથી કંપની પર આવવા અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તેમના પગાર વધારાની માંગણીનો નિવેડો લાવવાની માંગણી કરી હતી, જેમાં તેમણે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રિતેશ વસાવા, ઘારાસભ્ય ચૈતર વસાવા, માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવા, માજી ધારાસભ્ય મહેશ વસાવા, દિલિપ વસાવા, શેરખાન પઠાણ, રજની વસાવા વગેરેને કંપની પર હાજર રહેવા વિનંતી કરી હતી જે પૈકી ચૈતર વસાવા, શેરખાન પઠાણ, રજની વસાવા, રજનીકાંત પટેલ વિગેરે આજરોજ ઉપસ્થિત રહ્યા હતા, ઉપસ્થિત નેતાઓની સાથે ચર્ચામાં કામદારોએ જણાવ્યું હતું કે ૪૦ દિવસ કરતા વધુ સમય થયા પછી પણ મેનેજમેન્ટ કોઈ રિસ્પોન્સ આપતું નથી, જેથી અમે ઉગ્ર આંદોલન કરતાં હવે અચકાઈશું નહીં, સામાજિક અને રાજકીય આગેવાનો વાતચીત કરે અને તેમની માંગણી પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું, ૩૧૧ જેટલા કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર બેઠા છે, તો કંપની દ્વારા તેમને ફેમિલી મેમ્બર ગણવામાં આવે છે તેવું જણાવે છે તેમ છતાં તેમને આટલી ગરમીમાં પાણીનો ભાવ પણ પૂછતા નથી, આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા એ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે ૩૧૧ લોકો અહીં હડતાલ પર બેઠા છે, પ્રશાસન શું કરે છે? લેબર કમિશનર શું કરે છે? કલેક્ટર શું કરે છે? વિસ્તાર અમારો જમીન અમારી અમે શું જમીન આપીને ભૂલ કરી છે? તેમ‌ જણાવ્યું હતું. કર્મચારીઓએ જણાવ્યું હતું કે બ્રિટનિયા કંપનીમાં નોકરી કરીને અમારી જિંદગી બગડી ગઈ ! આટલા ઓછા પગારમાં અમે અમારું જીવન કેવી રીતે ગુજારી શકીએ? ૪૦ દિવસની લડત બાદ પણ કંપની દ્વારા કોઈ સાંત્વના નહીં આપતા કામદારો નિરાશ છે તેમ તેમણે જણાવ્યું હતું, કંપની અમને પગાર વધારો નહીં આપવો હોય તો અમે તમામ વીઆરએસ ની માંગણી કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!