GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ તકેદારી રાખવા અનુરોધ કરાયો

તા.૧૫/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

હવામાન વિભાગ દ્વારા તા.૨૦ મે સુધી વરસાદની આગાહી કરાઈ

Rajkot: હવામાન વિભાગ દ્વારા તા.૧૫ મે થી તા.૨૦ મે દરમિયાન રાજકોટ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આવા સમયે પાકના રક્ષણ માટે નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને અનુરોધ કરાયો છે.

જેમા કમોસમી વરસાદથી થતી પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોના ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવાનો સમાવેશ થાય છે.

એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા પણ જણાવાયું છે.

આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આ અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!