GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લાની સાત નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઈ

જૂનાગઢ જિલ્લાની સાત નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઈ

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે નગરપાલિકાઓના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના ૧૪૪, માંગરોળ નગરપાલિકાના ૧૨૦, બાંટવા નગરપાલિકાના ૮૦, માણાવદર નગરપાલિકાના ૧૧૦,વિસાવદર નગરપાલિકાના ૪૫, વંથલી નગરપાલિકાના ૯૫ તથા ચોરવાડ નગરપાલિકાના ૬૨ આમ સાત નગરપાલિકાઓના કુલ ૬૫૬ કર્મચારીઓ/અધિકારીઓ માટે ૧૦ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડીઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને આ માટે સુસજ્જ કરવા આવશ્યક હોય છે. જે અન્વયે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાની સાત નગરપાલિકાઓ માટે ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઇડની તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતુ.રિજિયોનલ ફાયર ઓફીસરની કચેરીની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની EMRI ટીમ દ્વારા ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ વિશે અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતા વિવિધ સાધનો અંગે નિદર્શન યોજવામાં આવ્યું હતુ.ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું હતુ. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે ૨૦ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. જેના ઉપક્રમે ગુજરાત સરકાર, વર્ષ ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, ત્યારે શહેરી વિસ્તારોને વધુ સુખ-સુવિધા સભર બને તેમજ નાગરિકો ‘Earning Well, Living Well’ નો ધ્યેય સાકાર કરી શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, ૧૫મું નાણાપંચ ઉપરાંત આઇકોનિક રોડ અને સ્વચ્છતા અને અન્ય બાબતો માટે ગત વર્ષ કરતા ૪૦% વધુ બજેટ ફાળવવામાં આવી છે

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!