GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી

ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. જો કે, અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ શપથ લીધા હતા, પરંતુ અગાઉના મંત્રીમંડળના 4 મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે, જેમાં ઋષિકેશ પટેલ (અગાઉના આરોગ્ય મંત્રી), કુંવરજી બાવળિયા (અગાઉના પાણી પુરવઠામંત્રી), કનુભાઈ દેસાઈ (અગાઉના નાણામંત્રી) અને પરસોત્તમ સોલંકી (અગાઉના મત્સ્યોદ્યોગ અને પશુપાલન, રાજ્યમંત્રી) સામેલ છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ તમામ મંત્રીઓ અગાઉના મંત્રીમંડળમાં મુખ્ય અને મહત્ત્વના વિભાગો સંભાળતા હતા. આ ચારેય નેતાઓને નવા મંત્રીમંડળમાં એ જ દરજ્જાનું મંત્રીપદ આપવાનું નક્કી હોવાથી તેમના રાજીનામા સ્વીકારાયા ન હતા.

શપથવિધિ પછી તરત જ સ્વર્ણિમ સંકુલ-1ના કેબિનેટ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી રહી છે. DyCM હર્ષ સંઘવી સહિત તમામ 26 મંત્રીઓના પોર્ટફોલિયોની સંપૂર્ણ યાદી પર એક નજર કરીએ.

ગુજરાતના નવા મંત્રીમંડળના મંત્રીઓને ખાતા ફાળવણી

મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલ (સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો)

નાયબ મુખ્યમંત્રી

હર્ષ સંઘવી (ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન)

કેબિનેટ મંત્રી

ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો)
જીતુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન)
કુંવરજી બાવળિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ)
કનુ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ)
નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ)
અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી)
ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)
રમણ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.)

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

ઈશ્વર પટેલ (પાણી પુરવઠા અને જળસંપત્તિ)
પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
મનીષા વકિલ (મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા)

રાજ્ય કક્ષાના મંત્રી

પરસોત્તમ સોલંકી (મત્સ્યોદ્યોગ)
કાંતિલાલ અમૃતિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
રમેશ કટારા (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન)
દર્શના વાઘેલા (શહેરી વિકાસ આવાસ)
કૌશિક વેકરિયા (કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો)
પ્રવીણ માળી (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન)
જયરામ ગામિત (રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન)
ત્રિકમ છાંગા (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)
કમલેશ પટેલ (નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ)
સંજયસિંહ મહિડા (મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ)
પુનમચંદ બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો)
સ્વરૂપજી ઠાકોર (ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ)
રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)

નવા મંત્રીમંડળ માટે 26 મંત્રીના નામ જાહેર થઈ ગયા હતા. ત્યાર પછી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહમાં કુલ 21 મંત્રીએ શપથ લીધા હતા. ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા ન હતા કારણ કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!