GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

સરકાર કે રાજા દ્વારા ઇનામ તરીકે આપવામાં આવેલ જમીનો હવે કાયદેસર થશે, રાજ્ય સરકારનો નિર્ણય

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, રાજ્યમાં જે ઈનામી જમીનો પર રી-ગ્રાન્ટની પ્રક્રિયામાં ટેકનિકલ અવરોધો હતા અથવા કબજા કિંમત ભરવાની બાકી હતી, કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીનોના કબજેદારો અને તેમના વારસદારોના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. જમીનધારકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે અગાઉના નિયમોમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી છે.

આ નવા સુધારામાં અનધિકૃત કબજા હક્કને નિયમબદ્ધ કરવા માટે હવે પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના 28 ઓગસ્ટ, 2023ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે. સરકારના આ અભિગમથી વર્ષોથી ઇનામી જમીન સંબંધી ગૂંચવણોમાં ફસાયેલા અનેક જમીનધારકોને લાભ મળશે.

GS_logo

Get The App

Video

Gujarat

India

World

Sports

Entertainment

Business

Astro

Magazine

HOME

SHORTS

WEBSTORY

EPAPER

ENGLISH_Light_icon

ENGLISH

 

Gujarat SamacharGujarat CitiesGandhinagar

મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

Updated: Feb 2nd, 2026

 

GS TEAM

 

Google News

Share on WhatsApp

Share on Twitter

Share on Facebook

Share on Telegram

મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ 1 – image

AI-generated audio.

 

Inam lands: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, રાજ્યમાં જે ઈનામી જમીનો પર રી-ગ્રાન્ટની પ્રક્રિયામાં ટેકનિકલ અવરોધો હતા અથવા કબજા કિંમત ભરવાની બાકી હતી, કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીનોના કબજેદારો અને તેમના વારસદારોના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. જમીનધારકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે અગાઉના નિયમોમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી છે.

 

આ નવા સુધારામાં અનધિકૃત કબજા હક્કને નિયમબદ્ધ કરવા માટે હવે પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના 28 ઓગસ્ટ, 2023ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે. સરકારના આ અભિગમથી વર્ષોથી ઇનામી જમીન સંબંધી ગૂંચવણોમાં ફસાયેલા અનેક જમીનધારકોને લાભ મળશે.

જે જમીનોમાં રી-ગ્રાન્ટની પ્રક્રિયા થઈ હોય પણ કબજાકિંમત ભરવાની બાકી હોય, અથવા કોઈ કારણસર રી-ગ્રાન્ટ ન થઈ શકી હોય, તેવી જમીનોના કબજેદારો કે વારસદારોના હક્ક હવે નિયમબદ્ધ કરી શકાશે.

આવા અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા માટે હાલની પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી કબજા હક્કની રકમ વસૂલવામાં આવશે. અગાઉના ઠરાવ (28/08/2023)ની અન્ય તમામ શરતો અને સૂચનાઓ યથાવત રહેશે.

.

 

Back to top button
error: Content is protected !!