વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
લાખણી તાલુકાના ગોગાપુરા (વા) પ્રાથમિક શાળા માં છેલ્લા ચાર વર્ષથી પોતાની અવિરત સેવા આપનાર બેન શ્રી કોમલબેન ધીરેન્દ્રકુમાર વોરા ની પોતાના માદરે વતન અમદાવાદ ખાતે બદલી થતા શાળા પરિવાર અને ગ્રામજનો વતી તેમના વિદાય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત વાસણા (વા)શાળા ના આચાર્યશ્રી આર.બી.પરમાર સાહેબ તેમજ સેન્ટર ની તમામ શાળા ના આચાર્ય શ્રી, ગોગાપુરા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી જીજ્ઞેશ ભાઈ સાહેબ,એસ.એમ.સી.કમિટી ના અધ્યક્ષ, સભ્યો પત્રકાર નારણભાઈ ગોહિલ ,ગ્રામજનો તેમજ બેન શ્રી ના પરિવારના લોકો એ સાથે મળીને બેન ને ભારે હૈયે વિદાય આપી.શાળાના આચાર્ય શ્રી જીજ્ઞેશ ભાઈ શ્રીફળ અને શાલ ઓઢાડી અને બુદ્ધ ભગવાનની પ્રતિમા આપી વિદાય સમારોહ યોજાયો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.