
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ની અંતરિયાળ શાળાઓ મા પેરક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કરાયું.
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપકે જલારામ સેવા ટ્રસ્ટ, પ્રા. શાળા રેલિયો 1,2 મેઘરજ ની શાળામા સવાર ની સભા મા પ્રાર્થના આધ્યાત્મ સ્વચ્છતા પર પ્રેરક પ્રવચન આપી સ્માર્ટ વ્યૂ બોર્ડ પર પ્રાર્થના ભાવગીત બાળવાર્તા રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી પ્રશ્નોત્તરી કરી બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ જવાબો આપ્યા. તમામ વિદ્યાર્થીઓ ને ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું.જલારામ મંદિર ના મહારાજ બિહારી પંડ્યાજી ઉપસ્થિત રહી વિધાર્થી ને જરૂરી માર્ગદર્શન આપ્યું. શાળા ના આચાર્યઓ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 39 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.




