સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પનું કરાશે આયોજન

26 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે પુષ્ય નક્ષત્રના શુભ પ્રસંગે “સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ” નું આયોજન કરવામાં આવશે. આ કેમ્પ તા. ૨૭/૦૬/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી આયોજિત કરવામાં આવશે. આ કેમ્પમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં આપવામાં આવશે, જે બાળકોના શારીરિક તથા માનસિક વિકાસમાં ખુબજ ઉપયોગી થાય છે. તથા હોમિયોપેથી કુપોષણ નિદાન સારવાર કેમ્પ પણ કરવામાં આવશે.સુવર્ણપ્રાશનના મુખ્ય ફાયદાઓ જેવા કે બુદ્ધિ (મેઘા), પાચનશક્તિ (અગ્નિ) અને શક્તિ (બળ)માં વધારો, આયુષ્ય, કલ્યાણ અને પુણ્યદાયક, શરીરની તાકાત અને કાંતિમાં વધારો, વર્ણ (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધા દૂર થાય, રોગપ્રતિરોધક શક્તિમાં વધારો, છ માસથી બાળક “સૂતધર” બને છે. સાંભળેલું યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે.
જાહેર જનતાને આ સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પનો નિઃશુલ્ક લાભ લેવા માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.




