SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે સરકારી આવાસમાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિકોએ રજૂઆત કરી

મનપા તંત્ર દ્વારા પાણી, રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડતા રોષ

તા.11/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મનપા તંત્ર દ્વારા પાણી, રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડતા રોષ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ રાજીવ આવાસ યોજનાના રહિશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ઉગ્ર રજુઆતો કરી હતી અને આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મનપા કચેરીના વોર્ડ નં.1માં ફિરદોષ સોસાયટીમાં આવેલ ચાર માળીયા રાજીવ આવાસ યોજનામાં અનેક ગરીબ પરિવારો વસવાટ કરે છે પરંતુ મનપા તંત્ર દ્વારા અહિં રહેતા ગરીબ રહિશોને પ્રાથમિક સવિધાઓ પુરી પાડવામાં આવતી નથી જેના કારણે પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે તંત્ર દ્વારા પુરતું અને નિયમીત પીવા તેમજ વાપરવા માટે પણ પાણી આપવામાં આવતું નથી જે મામલે અનેક વખત તંત્રને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી તાજેતરમાં મનપા તંત્ર દ્વારા છેલ્લા 6 દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેના કારણે રહિશો મુશ્કેલી ભોગવી રહ્યાં છે આ ઉપરાંત રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી, સફાઈ, લાઈટ સહિતની સુવિધાનો પણ અભાવ છે ત્યારે આ તમામ સમસ્યાઓને ધ્યાને લઈ સરકારી આવાસના રહિશોએ મનપા કચેરી ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તકે મોટી સંખ્યામાં રહિશો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!