
તા. ૧૩. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

“ વંદે માતરમ “અને “ભારત માતાકી જય” ના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ રાજ કિસાન પેટ્રોલ પંપ થી લીલીઝંડી આપીને પ્રારંભ કર્યો હતો. આ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે સમાપન થઈ હતી દેશપ્રેમ ના ગાન થી ધાનપુરની સડકો ગુંજી ઉઠી હતી. આ તિરંગા યાત્રામાં ધાનપુર તાલુકાના તમામ પદાધિકારીઓ તમામ વિભાગના અધિકારીઓ ,કર્મચારીઓ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા



