GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: અજાણ્યા મૃતકના વાલી-વારસોએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર તા.૨૭/૦૮/૨૦૨૩ ના રોજ રણજીતભાઇ પ્રતાપભાઇ બારીયા સવારના ૧૦-૦૦ થી ૧૧-૦૦ વાગ્યાની વચ્ચે જલાલપોર ફાટક પાસે રાજુ- ચા વાળાની દુકાને બેઠો હતો. જયાં તેઓને ચકકર આવતા પડી જતા રાજુ-ચા વાળાની દુકાનના માલિકે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતાં. તેઓની સારવાર દરમિયાન તા.૨૮/૮/૨૩ ના રોજ મરણ પામ્યા હતાં. મૃતકના વાલી-વારસની તપાસ કરતા મળી આવ્યા નથી.
<span;> મૃતક રણજીતભાઇ બારીયા ની ઉ.વ.-૫૫,  ઉંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ, રંગે શ્યામ વર્ણ, શરીરે મજબૂત બાંધાના, જમણા હાથ પર ઓમનું ટેટુ દોરેલ છે. મૃતકના વાલી-વારસોને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!