ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા.
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા.

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા.
ઓગડ તાલુકાના ચાંગા- અધગામ ના અને અમદાવાદ ખાતે રહેતા તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રીની જવાબદારી સંભાળતા દેસાઈ મહેશભાઈ લાખાભાઈએ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુના આર્શીવાદ લઈ શ્રી જલારામ મંદિરે બાપાના ચરણોમાં પ્રાર્થના કરીને ભાજપા દ્વારા મળેલી જવાબદારીમા નિષ્ઠા પૂર્વક કામ કરીને ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને અને ગુજરાત સરકારમાં ગુજરાતની જનતા માટે વધુમાં વધુ કામ કરી શકે તે માટે પ્રાર્થના કરી થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઓફિસે મુલાકાતે પધારતા થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સહીત કોર્પોરેટરોએ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વમહામંત્રી નિરંજનભાઈ ઠક્કર,પાંચાબા દેસાઈ ચાંગા, જલાભાઈ દેસાઈ,બળદેવભાઈ રાવલ સહિત સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




