CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના ધામસીયા ગામે આવેલી જય અંબે વિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

મૂકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકાના ધામસિયા ગામે ચાલતી જય અંબે વિદ્યાલયમા વેદ વ્યાસજી ના જન્મદિવસ નિમિત્તે શાળામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેની શરૂઆત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોકથી કરવામાં આવી બાળકો દ્વારા વિવિધ ગુરુ અને શિષ્યના પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા શાળાના શિક્ષકો દ્વારા પણ બાળકોને સાચી દિશા બતાવતા વિવિધ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા આમ આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ ગુરુ મય બની રહે અને ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ જળવાઈ રહે તે હેતુથી બાળકો અને શિક્ષકોએ પોતપોતાની આગવીમાં શૈલી માં વક્તવ્ય રજૂ કર્યા.






