ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જીલ્લાના હનુમાન મંદિરો અને રામ મંદિરમાં હનુમાન જ્યંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી.સાકરીયાગામ મંદિરે ભક્તો ઉમટ્યા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લાના હનુમાન મંદિરો અને રામ મંદિરમાં હનુમાન જ્યંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી.સાકરીયાગામ મંદિરે ભક્તો ઉમટ્યા

અરવલ્લી : સાકરીયામાં આવેલી અલૌકિક સુતેલા હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી,ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

મંગળવારના દિવસે હનુમાન જંયતી હોવાને કારણે એક વિશેષ યોગ સર્જાયો હતો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઠેર ઠેર હનુમાનજી મંદિરે વહેલી સવારથીજ દર્શનનો લ્હાવો લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આવેલા હનુમાનજી મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા બંને જીલ્લામાં ઠેર ઠેર હનુમાન દાદાના દર્શનાર્થે મંદિરોમાં દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા. ભારતમાં માત્ર બે જ સ્થળે આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના દર્શન થાય છે. એક અલ્હાબાદના ત્રિવેણી સંગમ ખાતે અને બીજા અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં આવેલા મંદિરમાં સુતેલા ભીડ ભંજન હનુમાનજીના અલૌકિક દર્શન થાય છે સાકરીયા હનુમાન મંદિર અને સુતેલી મુદ્રામાં રહેલા હનુમાન દાદા પાંડવ કાળથી બિરાજમાન છે રાજ્યમાં એક માત્ર સુતેલા હનુમાનજીનું અતિપ્રાચીન ભીડભંજન મંદિરે હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

સાકરીયા હનુમાન મંદિર ના ગર્ભગૃહ અને મંદિર પરિસરને ફૂલ અને રોશનીથી શણગારાયા હતા જયારે હનુમાન જ્યંતી નિમિત્તે 31 કિલોની કેક કાપી ભગવાનને બદામ,કાજુ જેવા સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો સુતેલા હનુમાનદાદાની અલૌકિક મૂર્તિને સોના-ચાંદી અને હીરાજડિત આભૂષણો નો શણગાર સજ્યો હતો આ પ્રસંગે મારુતિ યજ્ઞ પણ કરાયો હતો જેમાં 80 પરિવારોએ યજ્ઞ પૂજામાં બેસી પુજાવિધિનો લાભ લીધો હતો ૨૫ હજાર થી વધુ શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો હનુમાન મંદિરોમાં મહા આરતી અને લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્રી પૂનમ હોવાથી મોડાસા તાલુકાના ઈટાડી ગામના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે મોટીસંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા ૬ હજારથી વધુ દર્શનાર્થીઓએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો શામળાજીના વિષ્ણુ મંદિરે કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની ભારેભીડ થી મંદિર અને મંદિર પરિસર ઉભરાયું હતું મોડાસાના શ્રી બાલકદાસજી મંદિરે લક્ષ્મી નારાયણ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરતા શહેરજનો એ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો જીલ્લાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!