મોરબી ટીવી9 ના પત્રકાર રાજેશ અંબાલિયા અને તેમના પુત્ર શિવમનો આજે હેપી બર્થ ડે
મોરબી : રાજેશ અંબાલિયા એ પત્રકાર જગતમાં આજે એક જાણીતું નામ છે. તેમણે 2004 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમમાંથી માસ્ટર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન નો અભ્યાસ પૂર્ણ કર્યું હતું.
રાજેશભાઇ એ ઇન્ટરનશીપ રાજકોટ આકાશવાણી (રેડીઓ) માં લીધી અને ત્યાર બાદ તેઓએ ભુજ ખાતે પત્રકારત્વની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ તેઓ એ મોરબી ખાતે પરત આવી અલગ અલગ મેગેજીન અને દૈનિક વર્તમાન પત્રોમાં કામ કર્યું. 2007 માં તેઓ અમદાવાદ ખાતે નેશનલ ન્યુઝ ચેનલ IBN7 માં જોડાયા. ટીવી મીડિયામાં જોડાતાની સાથે જ 2007 માં આવેલ વિધાનસભા ઇલેક્શન સમયે બોગસ ઇલેક્શન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને કૌભાંડ અટકાવ્યું હતું ત્યારે બાદ તેમણે અમદાવાદ માં પાંચ વર્ષ સુધી વિધાનસભા, લોકસભા ઇલેક્શન, અમદાવાદમાં થયેલ શ્રેણીબંધ બૉમ્બ બ્લાસ્ટ તેમજ આશારામ આશ્રમમાં અપ મૃત્યુ પામેલ અભિષેક, દીપેશ ના કેસમાં રિપોર્ટિંગ કરી સારી નામના મેળવેલ. ત્યાર બાદ રાજેશભાઇ રાજકોટ ખાતે પણ રાષ્ટ્રિય ન્યુઝ ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કર્યા બાદ હાલમાં તેઓ મોરબી જીલ્લામાં ટીવી9 ના પ્રતિનિધિ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે દેશની નંબર વન હિન્દી નેશનલ ચેનલ આજતક તેમજ BBC ગુજરાતી ચેનલમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે તેમના પુત્ર શિવમનો પણ ર્થડે છે. શિવમ આંઠ વર્ષ પૂર્ણ કરી ને 9માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. પુત્ર શિવમ જીવનમાં ખૂબ આગળ વધે તેવા પરિવારજનો આશીર્વાદ આપી રહ્યા છે. રાજેશભાઈ મળતાવળા સ્વભાવના હોવાના કારણે બોહળો મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિત્તે મિત્રવર્તુળ, સગાસંબંધીઓ અને પરિચિતો તેમના મોબાઈલ નંબર 9925259165 પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.