
ગુજરાત સરકાર દ્વારા લોકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે તા.૧લી નવેમ્બરના રોજ બપોરે ૪ કલાકે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા અંગે જનજાગૃતિ લાવવા માટે જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમ લોકોના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો નિયમિતપણે યોગ કરવા માટે પ્રેરાય તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
 
				





