GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિષદમાં શાસ્ત્રોક વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૩.૨૦૨૬

પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાના મંદિર પરિષદમાં આજે સોમવારે સાંજે 6 કલાકે શાસ્ત્રોત વિધિવત રીતે હોળીને પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળીને પણ પ્રગટાવવામાં આવી હતી ભક્તો દ્વારા વાતાવરણની શ્રુધી અર્થે હોળીમાં નાળિયેર,ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી જ્યારે નાના બાળકોને શીતળા હોળી પધારેલા હોય તે માટે માન્યતા રાખેલા લોકોએ ગાયના છાણમાંથી બનાવેલ મેડમ એરિયાનો હાઇડા બનાવી હોળીમાં પધરાવ્યા હતા અને લોકોએ હોળીની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે 3 માર્ચ મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી પાવાગઢ મંદિરના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.પૂનમના દિવસે 3 માર્ચ મંગળવારે સવારે 5 કલાકે મંદિર પરિસદ માં આરતી થશે અને સવારે 6 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે અને 6 વાગ્યા બાદ આખો દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે જ્યારે 4 માર્ચ બુધવારના રોજ મંદિરના દ્વાર ફરીથી રાબેતા મુજબ દર્શનાર્થી માટે ખુલ્લા મુકાશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!