AHAVADANG

સાપુતારા માર્ગનાં બારીપાડા-બોરીગાવઠા ફાટક નજીક અકસ્માતે કાર ઊંઘી વળી જતા ગંભીર અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ શિરડીથી દર્શન કરી પરત અમદાવાદ જઈ રહેલા પ્રવાસીઓની કાર.ન.જી.જે.27.બી.ઈ.3513 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા-બોરીગાવઠા ફાટક નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ભેખડો સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારમાં સવાર તમામ પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

Back to top button
error: Content is protected !!