GUJARAT
ભેખડા ગામે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ના જીર્ણોદ્ધાર માટે શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરાયા બાદ મંદિરનુ ખાતમુહૂર્ત કરાયુ
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકા ના નાનકડા ભેખડા ગામમા,ગ્રામજનો અને વિદેશમા વસતા શ્રધ્ધાળુઓ ધ્વારા ગામની પાદરા શ્રી કષ્ટભંજન દેવ ના ભવ્ય મંદિર નુ નિર્માણ કરાયા બાદ આજરોજ, ગામની પાદરે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ ના પૌરાણિક મંદિર ના સ્થાને નવીન શિખર મંદિર નુ નિર્માણ કરવા,જીર્ણોદ્ધાર માટેની પૂજા વિધિ ,ચાણોદ ના ભૂદેવ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરી હતી..અને મંદિર ના જીર્ણોદ્ધાર માટે ની પૂજા વિધિ પૂર્ણ થયા બાદ, નવિન મંદિર ના નિર્માણ માટે નુ ખાતમુહૂર્ત કરાયુ હતુ.. આ શુભકાર્ય માટે ખાસ વિદેશ થી આવેલા જશભાઇ પટેલ સાથે ગામ અગ્રણી પ્રકાશપટેલ,મૌલેશપટેલ,હરેશપટેલ,સહદેવ પટેલ સહિત સમગ્ર ગ્રામજનો અને યુવાનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.




